ગણેશ ચતુર્થી અને નવરાત્રિમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ઓક્ટોબર સુધી રાજ્યમાં કેવું વેધર રહેશે તેને લઇને આગાહી કરી છે. જાણીએ વેઘર અપડેટસ
Rain Forecast: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સારો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઓક્ટબર સુધીના વેઘરને લઇને આંકલન કર્યું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, હાલ ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ ગઇ છે. ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિનો નવ દિવસનો લાંબો ઉત્સવ મનાવાશે. આ પર્વમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ એ અંગે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં ઓક્ટોબર સુધી મોનસૂન સક્રિય રહેશે અને છૂટછવાયો ક્યાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ વરસશે.
27 ઓગસ્ટથી દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થશે. અંબાલાલ પટેલે ગણેશ ઉત્સની આસપાસ વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25થી 28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે.
અંબાલાલના આંકલન મુજબ આજે અને આવતી કાલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.ઉત્તર ગુજરાતના જિલ્લામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસશે, મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજે વરસાદનું અનુમાન છે.સ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી ઝાપટા આજના દિવસે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે.રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે. બનાસકાંઠામાં ત્રણથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. પંચમહાલ અને મહિસાગરમાં આઠ ઈંચ સુધીનો વરસાદ વરસશે. 25થી 28 ઓગષ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં 5થી 10 ઈંચ સુધી વરસાદની શક્યતા છે. વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ




